About Board
રાજ્યમાં બોમ્બે એનીમલ પ્રિઝર્વેશન એકટ-૧૯૫૪ જરૂરી સુધારા વધારા સાથે અમલીકરણમાં છે. પરંતુ તેની જોગવાઇઓના અસરકારક અમલ માટે અન્ય રાજ્યોના ધોરણે પશુઓનું રક્ષણ જાળવણી અને તેના અનુવંશિક કલ્યાણની પ્રવૃત્તિ માટે તેમજ પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ /કામ કરતી સંસ્થાઓને એક છત હેઠળ લાવવાના હેતુસર ‘‘ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની પુનઃરચના કરવા અંગેની બાબત સરકારમાં કેટલાક સમયથી વિચારણમાં હતી.
રાજ્ય કક્ષાનું ગુજરાત વેલ્ફેર બોર્ડની રચના સંદર્ભ-૧ હેઠળના ઠરાવથી કરવામાં આવેલ હતી. નામ સુપ્રીમ કોર્ટ, ન્યુ દિલ્હીના સંદર્ભ-ર હેઠળના ગીતા શેષમણી વિરૂદ્ધ ભારત સરકારની સીવીલ એપ્લીકેશન નંબરઃ ૪૪૦/૨૦૦૦ ના ચુકાદા ક્રમાંકઃ D.O.No. 2090/2000/PIL (Writ) તા. ૨૦-૦૯-૨૦૦૦ માં જણાવ્યા મુજબ રાજ્યમાં ચુકાદાની તારીખથી ત્રણ માસ સુધીમાં એનીમલ વેલ્ફેર બોર્ડની રચના કરવાની રહે છે. સંદર્ભ-૩ તથા ૪ હેઠળના પત્રોથી રાજ્યમાં વિધિવત ધોરણે એનીમલ વેલ્ફેર બોર્ડની રચના કરવા બાબતે પશુપાલન નિયામકશ્રી દ્વારા દરખાસ્ત કરેલ છે.
View All