પરિચય
ગુજરાત રાજય પ્રાણી કલ્યાણ બોર્ડએ નામદાર સુપ્રીમકોર્ટના રિટ પિટિશન -૪૪૦ / ૨૦૦૦ના ચુકાદા ક્ર્માંક D.O.No. 2090/2000 PIL(Writ) તા.૨૦/૦૯/૨૦૦૮ અનુસાર મિસ ગીતા શેષમણી Vs યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્યના કેસના ચુકાદા મુજબના રાજયમાં પ્રાણી કૃરતા અધિનિયમ-૧૯૬૦ તથા તે હેઠળના નિયમોની જોગવાઈઓનો પાયાના સ્તરે અસરકારક અમલ કરાવવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવેલ છે તથા કૃષિ અને સહકાર વિભાગ દ્વારા તા. ૩૦/૧૧/૨૦૧૩ના રોજ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની પુન:રચના અંગેનો ઠરાવ કરવામાં આવેલ છે. સદર બોર્ડમાં કુલ ૩૦ સભ્યો છે જેમાં માન. મંત્રીશ્રી (પશુપાલન) હોદ્દાની રૂએ બોર્ડના અધ્યક્ષ છે તથા માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી (પશુપાલન) હોદ્દાની રૂએ બોર્ડના ઉપાધ્યક્ષ તેમજ માન. પશુપાલન નિયામકશ્રી હોદ્દાની રૂએ સભ્ય સચિવ છે. બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે કાર્યરત છે.
પ્રાણી કૃરતા અધિનિયમ-૧૯૬૦ની જોગવાઈઓનો પાયાના સ્તરે અસરકારક અમલ કરાવવા માટે રાષ્ટ્રિય કક્ષાએ ભારત સરકારશ્રી દ્વારા ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવેલ છે, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવેલ છે અને જીલ્લા કક્ષાએ The Prevention of Cruelty to Animals (Establishment and Regulation of Societies for Prevention of Cruelty to Animals) Rules, 2001 અંતર્ગત રાજ્યમાં તા. ૦૫/૧૧/૨૦૧૪ના રોજ નોટીફિકેશન જાહેર કરી રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી (SPCA)ની રચના કરવામાં આવેલ છે. આ મુજબ દેશમાં પ્રાણી કલ્યાણની પ્રવૃતિની કામગીરી અર્થે રાષ્ટ્રિય, રાજ્ય અને જીલ્લા કક્ષાએ ત્રિસ્તરીય (3 Tier) વ્યવસ્થા અમલમાં છે.
વધુ જાણો